શુક્રવારે કુમકુમ આનંદધામ – હીરાપુર ખાતે પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.

By: nationgujarat
22 Feb, 2024

તારીખ ૨૩-૦૨-૨૦૨૪ શુક્રવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ – આનંદધામ હીરાપુર ખાતે સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિરૂપે પૂર્ણિમાની ઉજવણી સાંજે ૫:૩૦ થી ૭:૩૦ કરવામાં આવશે.

આ પ્રસંગે શ્રી અબજીબાપાશ્રીની વાતોની પારાયણ, કીર્તન – ધ્યાન, ધૂન કરવામાં આવશે.

આ પ્રસંગે સાધુ પ્રેમવત્સલદાસજી , શ્રી હરિવલ્લભદાસજી સ્વામી, શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ભગવાન ભજવા માટે કેવી મુમુક્ષુતા જોઈએ ??? એ વિષય ઉપર પ્રવચન આપશે.

અંતમાં છત્રી સ્થાન ઉપર શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદ અને સદગુરૂ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પટ્ટમૂર્તિ પાસે સંતો હરિભક્તો દ્વારા સામુહિક આરતી કરવામાં આવશે.

આ દિવ્ય પ્રસંગનો દેશ વિદેશના ભક્તો લાભ લઇ શકે તે માટે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ Youtube ચેનલ ઉપર તેનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે.


Related Posts

Load more